ઈસુ મૂએલી દીકરીને સજીવન કરે છે અને બિમાર સ્ત્રીને સાજી કરે છે
40 હવે જયારે ઈસુ પાછા આવ્યા ત્યારે ટોળાંએ તેમનો આવકાર કયોઁ, કેમકે તેઓ બધા તેમની રાહ જોતાં હતાં, 41 ત્યારે યાઈરસ નામે એક માણસ જે સભાસ્થાનનો આગેવાન ત્યાં આવ્યો, ઈસુના પગે પડીને તેમને પોતાના ઘરે આવવાં આજીજી કરી. 42 કારણ કે બાર વર્ષની તેની એકની એક દીકરી મરવા પડી હતી.
જયારે ઈસુ જતાં હતાં ત્યારે ટોળાએ તેમની પર પડાપડી કરી. 43 અને ત્યાં એક સ્ત્રી હતી જેને બાર વર્ષથી લોહીવા હતો, પણ કોઇ તેને સાજી કરી શકયું ન હતું. 44 તે તેમની પાછળ આવીને તે તેમના ઝભ્ભાની કીનારીને અડકી, અને તરત જ તેનો લોહીવા બંધ થયો.
45 ઈસુએ પૂછયું. "કોણે મને સ્પશઁ કયોઁ?"
જયારે બધાએ ના પાડી, ત્યારે પિતરે કહ્યું, "ગુરુજી! લોકો પડાપડી કરે છે અને ચગદી નાખે છે."
46 પણ ઈસુએ કહ્યું, "કોઈએ મને સ્પશઁ કયોઁ; હું જાણું છું કે મારામાંથી પરાક્રમ બહાર નીકળ્યું."
47 જયારે સ્ત્રીએ જાણ્યું કે હું અજાણી રહી નથી, ત્યારે ધ્રૂજીને આવીને તેમના પગે પડી. બધા લોકોની હાજરીમાં તેણે કહ્યું તે કેમ તેમને અડકી અને કેવી રીતે તરત સાજી થઈ. 48 પછી તેમણે તેને કહ્યું, "દીકરી! તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિમાં જા."
49 જયારે ઈસુ હજી બોલતા હતા, એટલામાં જ સભાસ્થાનના આગેવાન યાઇરસના ઘરેથી કોઇ આવ્યું, તેણે કહ્યું, "તારી દીકરી મરણ પામી છે, હવે ઉપદેશકને તસ્દી આપવાની જરૂર નથી."
50 આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
51 જયારે તેઓ યાઈરસને ઘરે આવ્યા, ત્યારે તેમણે પિતર, યાકોબ, યોહાન અને દીકરીનાં માબાપ સિવાય બીજા કોઈને અંદર આવવાં દીધાં નહિ 52 એટલા, લોકો તેને માટે વિલાપ અને રડારોળ કરતા હતાં, ઈસુએ કહ્યું, "રડવાનું બંધ કરો! તે મરી નથી ગઈ, પણ ઊંઘે છે."
53 તે મરી ગઇ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢયા. 54 પછી તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "મારી દીકરી, ઊઠ!" 55 તેનો આત્મા પાછો આવ્યો અને તે તરત ઊભી થઇ. પછી ઈસુએ તેઓને કહ્યું તેને કંઈક ખાવાનું આપો. 56 તેના માબાપ અચરત થયા, પણ તેમણે તેઓને તાકીદ કરી કે જે થયું તે કોઇને કહેશો નહિ.