49 જયારે ઈસુ હજી બોલતા હતા, એટલામાં જ સભાસ્થાનના આગેવાન યાઇરસના ઘરેથી કોઇ આવ્યું, તેણે કહ્યું, "તારી દીકરી મરણ પામી છે, હવે ઉપદેશકને તસ્દી આપવાની જરૂર નથી."
50 આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
51 જયારે તેઓ યાઈરસને ઘરે આવ્યા, ત્યારે તેમણે પિતર, યાકોબ, યોહાન અને દીકરીનાં માબાપ સિવાય બીજા કોઈને અંદર આવવાં દીધાં નહિ 52 એટલા, લોકો તેને માટે વિલાપ અને રડારોળ કરતા હતાં, ઈસુએ કહ્યું, "રડવાનું બંધ કરો! તે મરી નથી ગઈ, પણ ઊંઘે છે."
53 તે મરી ગઇ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢયા. 54 પછી તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "મારી દીકરી, ઊઠ!" 55 તેનો આત્મા પાછો આવ્યો અને તે તરત ઊભી થઇ. પછી ઈસુએ તેઓને કહ્યું તેને કંઈક ખાવાનું આપો. 56 તેના માબાપ અચરત થયા, પણ તેમણે તેઓને તાકીદ કરી કે જે થયું તે કોઇને કહેશો નહિ.