27 "હું તમને સાચે જ કહું છું કે, જેઓ અહીં ઊભા રહેલાં છે તેઓમાંથી કેટલાક ઈશ્વરનું રાજ્ય જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહિ."
રૂપાંતર
28 એ વાતો કહ્યાંના લગભગ આઠ દિવસ પછી, પિતર, યાકોબ તથા યોહાનને લઈને પ્રાર્થના કરવા માટે પર્વત પર ગયા. 29 જયારે તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો વીજળીના ચમકારા જેવા ઉજળાં થઈ ગયાં. 30 બે માણસો, મોશે અને એલિયા ભવ્ય મહીમામાં ઈસુની સાથે વાત કરતા દેખાયા. 31 તેઓએ તેમની વિદાય વિશે વાત કરી, કે જે તે યરુશાલેમમાં પુરું થવાનું હતું.