46 અને મરિયમે કહ્યું:
"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે
47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,
48 કેમકે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા
પર દ્રષ્ટિ કરી છે.
હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે,
49 કેમકે પરાક્રમીએ મારે સારું,
મારા માટે મહાન કૃત્યો કર્યાં છે—તેનું નામ પવિત્ર છે.