ભલા સમરૂનીનું દ્રષ્ટાંત
25 એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. "ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?"
26 તેમણે જવાબ આપ્યો, "નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું કેવી રીતે વાંચે છે?"
27 તેમણે જવાબ આપ્યો, " ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ "
28 ઈસુએ જવાબ આપ્યો, "તેં સાચો જવાબ આપ્યો. તું આ કર અને તું જીવશે."
29 પણ તે પોતાને ન્યાયી ઠરાવવા ઈચ્છતો હતો, તેથી તેણે ઈસુને પૂછયું, "મારો પાડોશી કોણ?"
30 ઈસુએ જવાબ આપતાં કહ્યું. "એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો, જયારે લુંટારાઓએ તેના પર હુમલો કયોઁ, તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધા, તેને માર્યો અને તેને અધમૂઓ કરીને નાસી ગયા. 31 સંજોગોવશાત એક યાજક ત્યાં થઈને જતો હતો. જયારે તેણે પેલા માણસને જોઇને બીજી બાજુએ થઇને ચાલ્યો ગયો. 32 એક લેવી પણ તે જગ્યાએ આવ્યો અને તેને જોઇને બીજી બાજુએ ચાલ્યો ગયો. 33 પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી. 34 તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’
36 "હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."
37 નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."
ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."