3 પછી યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પેઠો. 4 અને યહુદા મુખ્ય યાજકો તથા મંદિરનાં રક્ષકોનાં સરદારો પાસે ગયો અને ઈસુને કેવી રીતે પકડાવી દેવા મંત્રણા કરી. 5 તેઓ ખુશ થયા અને તેને પૈસા આપવાં સહમત થયા, 6 અને ટોળું હાજર ન હોય ત્યારે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ તે શોધવાં લાગ્યા.