ઈસુનું બાપ્તિસ્મા અને વંશાવળી
21 જયારે બધા લોકો બાપ્તિસ્મા લઇ રહયાં હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. અને તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે આકાશ ઊઘડી ગયું. 22 અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક રૂપમાં તેમના પર ઊતર્યો અને આકાશથી વાણી થઈ: "તું મારો પુત્ર છે. જેને હું પ્રેમ કરું છું; તારા પર હું પ્રસન્ન છું."