18 કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં લાવ્યાં. ઘરમાં લઇ જઈને ઈસુની આગળ તેને મૂકવાનો પ્રયત્ન કયોઁ. 19 જયારે ટોળાને લીધે તેઓ તેમ કરવા માટે તેઓને કોઇ રસ્તો સૂઝયો નહિ ત્યારે તેઓ છાપરા પર ગયા અને ઈસુની સામે ભીડની વચ્યે તેને પથારીથી નીચે ઉતાયોઁ.
20 જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો ત્યારે તેમણે કહ્યું, "મિત્ર! તારાં પાપ તને માફ થયાં છે."
21 ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ માંહોમાંહે વિચારવા લાગ્યા, "આ માણસ કોણ છે જે ઈશ્વર નિંદા કરે છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
22 ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? 23 ‘તારાં પાપ તને માફ થયાં છે’ કે ‘ઉઠ અને ચાલ’ એમ કહેવું, આ બેમાંથી શું સહેલું છે? 24 પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા. 25 તરત તે તેઓની આગળ ઊભો થયો, ને જેના પર તે સુતો હતો તે ઊંચકીને, ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો.