વાવનારનું દ્રષ્ટાંત
1 આ પછી, ઈસુ શહેરે શહેરે અને ગામે ફરીને ઈશ્વરના રાજ્યનાં સુસમાચાર પ્રગટ કરવા લાગ્યા. તેમની સાથે બાર હતા. 2 અને કેટલીક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી, જેઓને અશુધ્ધ આત્માઓથી અને બિમારીમાંથી સાજી કરવામાં આવી હતી. મરિયમ કે જે માગદાલેણ કહેવાતી હતી, જેનામાંથી સાત અશુધ્ધ આત્માઓ નીકળ્યાં હતા. 3 હેરોદના ઘરનો કારભારી ખુઝાની પત્ની યોહાન્ના હતી, સુસાન્ના અને બીજી ઘણી હતી. આ સ્ત્રીઓ પોતાની આવકમાંથી તેઓને મદદ કરતી હતી.