1 અંત્યોખના મંડળીમાં જે પ્રબોધકો અને ઉપદેશકો હતા: તેમાં બાર્નાબાસ, શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, કૂરેનીનો લુકિયસ, રાજા હેરોદનો દૂધભાઈ મનાએન અને શાઉલ હતા. 2 જયારે તેઓ ભજન તથા ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, "જે સેવા માટે મેં બાર્નાબાસ તથા શાઉલને પસંદ કર્યા છે તે માટે તેઓને અલગ કરો." 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને તેઓના પર હાથ મૂક્યાં અને તેઓને વિદાય કર્યા.
Publicidade
Publicidade