25 મધરાતનાં સુમારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા, અને ઇશ્વરના સ્તોત્રો ગાતાં હતા, અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા. 26 ત્યારે એકાએક ભારે ધરતીકંપ થયો કે જેલનાં પાયા હાલી ગયા, તરત જ જેલનાં બધા દરવાજા ઊઘડી ગયા અને તમામની સાંકળો નીકળી પડી. 27 જેલર જાગી ઊઠયો. અને જયારે તેણે જેલનાં દરવાજા ઊઘડેલા જોયા, ત્યારે તેણે કેદીઓ નાસી ગયા હશે એવું માનીને આત્મહત્યા કરવા તેણે પોતા પર તરવાર ઉગામી; 28 પણ પાઉલે બૂમ પાડીને, "પોતાને કંઇ ઇજા કરીશ નહિ, અમે બધા અહીં જ છીએ!"
29 જેલરે દીવો મંગાવી અને અંદર દોડી જઈને તે ધ્રુજતો ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડયો. 30 પછી તે તેઓને બહાર કાઢયાં અને પૂછયું, "સાહેબો, તારણ પામવાં માટે મારે શું કરવું જોઈએ?"
31 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે." 32 પછી તેઓએ તેને તથા તેના ઘરનાં સર્વેને ઇશ્વરના વચનો પ્રગટ કયાઁ. 33 રાત્રીના તે જ વખતે જેલરે તેઓને લઇ જઈને સોળ ધોયાં અને તરત જ તેણે તથા તેનાં ઘરનાંએ બાપ્તિસ્મા લીધું. 34 જેલર તેઓને પોતાના ઘરે લઈ ગયો અને તેઓની આગળ ભોજન પીરસ્યું. તેણે અને તેના ઘરનાંએ વિશ્વાસ કર્યા હોવાને લીધે તે અને તેનાં ઘરમાં આનંદ થઈ રહ્યો.