41 જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.
વિશ્વાસીઓની સંગત
42 તેઓ પ્રેષિતોના શિક્ષણમાં, સંગતમાં, અને પ્રભુભોજનમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યાં. 43 પ્રેષિતો દ્રારા કરવામાં આવેલા ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારોથી બધા ભયભીત થયા. 44 સર્વ વિશ્વાસીઓ સંગતમાં રહેતાં અને તેઓની બધી વસ્તુઓ સહિયારી હતી. 45 તેઓ પોતાની મિલકત વેચી નાંખતા, અને જરૂરિયાતમંદ લોકોને વહેંચી આપતાં. 46 તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા. 47 ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.