ઝખાર્યાનું ગીત
67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રબોધ કયોઁ:
68 "ઇઝરાયેલનાં ઈશ્વર, પ્રભુની સ્તુતિ થાઓ,
કેમકે તેમણે પોતાના લોકોની પાસે આવી અને તેઓનો ઉધ્ધાર કર્યો છે.
69 તેમણે પોતાના સેવક દાવિદના ઘરમાં,
તેમણે આપણે સારું તારણનું શિંગ ઉભું કયું છે
70 (જેમ બહુ પહેલાં પવિત્ર પ્રબોધકો દ્રારા તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે)
71 આપણા શત્રુઓથી,
અને સવઁ ધિક્કારનારાઓ નાં હાથમાંથી આપણને બચાવશે
72 આપણા પૂર્વજો તરફ તેમણે દયા દર્શાવી
અને પોતાનો પવિત્ર કરાર સંભાર્યે:
73 તેમણે આપણા પિતા અબ્રાહમ સાથે જે સમ ખાધા:
74 આપણને આપણા સઘળાં શત્રુઓનાં હાથમાંથી મુક્ત કરીને
અને આપણને નિર્ભયતાથી તેમની સેવા કરવા યોગ્ય કયાઁ,
75 પવિત્રતામાં અને ન્યાયીપણામાં આપણા સવઁ દિવસો તેમની સમક્ષતામાં,
76 "અને તું, મારા પુત્ર, પરાત્પરનો પ્રબોધક કહેવાશે;
કેમકે પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે તેમની આગળ તું જશે,
77 તારણનું જ્ઞાન તું તેમના લોકોને આપે,
કે તેનાથી તેઓનાં પાપની માફી મળે.
78 આપણા પ્રભુની પુષ્કળ દયાને લીધે,
જેનાથી આકાશમાંથી ઉગતો સૂરજ આપણી પાસે આવશે,
79 અંધકારમાં જીવતાં લોકો પર પ્રકાશવાં;
અને મૃત્યુની છાયામાં જીવતાં,
આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય."