6 યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ;
કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
8 કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી,
મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
9 હું જીવલોકમાં
યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.