4 યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે:
કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય,
જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું
અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
5 કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે;
તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે.
તે મને ખડક પર ચઢાવશે!