8 અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે;
જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
9 યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો;
તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
10 સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે;
પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
11 આવો, મારાં બાળકો, મારું સાંભળો;
હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.