બીમારીમાંથી છુટકારા માટે પ્રાર્થના
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે;
સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે.
2 યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે
અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે;
યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.
3 બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે;
તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.