પ્રભુ આપણી સાથે છે
1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,
સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય
જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય
જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.