પાઉલ અને સિલાસ જેલમાં
16 એક વાર અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમે એક દાસીને મળ્યા કે જેને અશુધ્ધ આત્મા વળગેલો હતો, જેનાથી તે ભવિષ્યકથન કહી પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી. 17 તે પાઉલની તથા અમારી પાછળ આવી બૂમ પાડવા લાગી, "આ માણસો પરાત્પર ઈશ્વરના ભકતો છે, કે જેઓ તમને તારણના માઁગ વિશે કહે છે." 18 ઘણાં દિવસ સુધી એવું ચાલ્યું. છેવટે પાઉલે કંટાળીને તેની તરફ ફરીને પેલા અશુધ્ધ આત્માને કહ્યું, "ઈસુ મસીહને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી તું નીકળી જા!" તે જ ઘડીએ અશુધ્ધ આત્મા તેનામાંથી નીકળી ગયો.