પિતર સંબોધે છે
14 પછી અગિયારની સાથે પિતર ઉભો થયો, મોટેથી બોલીને ટોળાને સંબોઘ્યું: "હે યહૂદી ભાઈઓ અને યરુશાલેમનાં રહેવાસીઓ; મને આ સમજાવવા દો; હું જે કહું છું તે ઘ્યાનથી સાંભળો. 15 જેમ તમે ધારો છો તેમ આ માણસો પીધેલાં નથી, હજુ તો સવારનાં નવ વાગ્યાં છે! 16 ના, આ તો યોએલ પ્રબોધકે જે ભવિષ્યકથન કહ્યું હતું તે છે:
17 " ‘ઈશ્વર કહે છે કે,
છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.
તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.
તમારાં જુવાનોને સંદર્શનો થશે,
તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.