17 " ‘ઈશ્વર કહે છે કે,
છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.
તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.
તમારાં જુવાનોને સંદર્શનો થશે,
તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.
18 તે દિવસોમાં હું મારા સેવકો, બન્ને પુરુષો તથા સ્ત્રીઓ પર,
મારો આત્મા રેડી દઈશ અને,
તેઓ પ્રબોધ કરશે.
19 હું ઉપર આકાશમાં અદભુત કૃત્ય તથા નિચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ,
લોહી, તથા
અગ્નિ અને ધુમાડાનાં ગોટેગોટા દેખાડીશ.
20 પ્રભુનો એ મહાન તથા ગૌરવી દિવસ આવે તે પહેલાં
સૂર્ય અંધકારમય અને
ચંદ્ર લોહી થઈ જશે.
21 અને જે કોઇ પ્રભુને નામે વિનંતી કરશે,
તે તારણ પામશે.’