42 પણ ઈશ્વર તેઓથી વિમુખ થઈ ગયા અને તેઓને ત્યજી દીધા જેથી તેઓ આકાશના સૈન્ય સૂર્ય, ચંદ્ર અને તારાઓની પૂજા કરે. પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે:
" ‘ઓ ઇઝરાયેલીઓ, અરણ્યમાં ચાળીસ વર્ષો સુધી
શું તમે મને બલિદાન ચઢાવ્યાં હતાં?
43 તમે મોલેખનો મંડપ,
અને તમારે દેવ રેફાનનાં તારા એટલે કે ની પૂજા કરવા માટે
બનાવેલી મૂર્તિઓ ઉપાડી ગયા છો,
તેથી હું તમને બેબિલોનને પેલે પાર બંદીવાસમાં મોકલી દઈશ.’