8 યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે;
તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
9 તે હંમેશાં શિક્ષા કરશે નહિ;
તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
10 તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી
અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
11 કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
12 પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે,
તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.