17 " ‘ઈશ્વર કહે છે કે,
છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.
તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.
તમારાં જુવાનોને સંદર્શનો થશે,
તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.
18 તે દિવસોમાં હું મારા સેવકો, બન્ને પુરુષો તથા સ્ત્રીઓ પર,
મારો આત્મા રેડી દઈશ અને,
તેઓ પ્રબોધ કરશે.