22 "ઇઝરાયેલી માણસો, તમે આ સાંભળો: ઈશ્વરે પસંદ કરેલાં નાઝરેથના ઈસુ મારફતે જે મહાન ચમત્કારો કરાવીને સર્વ લોકો આગળ એ સ્પષ્ટ કર્યું કે, તે ઈશ્વરના પસંદ કરેલાં છે, તમે એ જાણો છો, 23 આ માણસને ઈશ્વરની યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે તમને સોંપવામાં આવ્યા હતા, અને તમે દુષ્ટ માણસોની મદદથી તેમને ક્રૂસે જડાવીને ખિલ્લા મારીને મારી નાંખ્યાં; 24 પણ ઈશ્વરે તેમને મરણની વેદનામાંથી છોડાવીને સજીવન કર્યા. કેમકે મૃત્યુ તેમને બંધનમાં રાખી શકે એ અશક્ય હતું.
Publicidade
Publicidade