44 સર્વ વિશ્વાસીઓ સંગતમાં રહેતાં અને તેઓની બધી વસ્તુઓ સહિયારી હતી. 45 તેઓ પોતાની મિલકત વેચી નાંખતા, અને જરૂરિયાતમંદ લોકોને વહેંચી આપતાં. 46 તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા. 47 ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.
Publicidade
Publicidade