3 પછી પિતરે કહ્યું, "અનાન્યા, શેતાને તારું હૃદય કેમ કબજે કર્યું છે, કે તું પવિત્ર આત્માને જૂઠું બોલીને જમીનના નાણાંમાંથી થોડો હિસ્સો તારા માટે રાખ્યો છે? 4 તે વેચાયા પહેલાં તે તારી ન હતી? અને વેચ્યાં પછી નાણાં તારા હાથમાં ન હતા? તો પછી તેં આવું કેમ કર્યું? તું માણસો આગળ નહિ પણ ઈશ્વર આગળ જૂઠું બોલ્યો છે."
Publicidade