30 ત્યારે ફિલિપ તે રથની પાસે દોડી ગયો, અને તેણે તે માણસને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો, ફિલિપે તેને પૂછયું. "તું જે વાંચે છે, તે શું તું સમજી શકે છે?"
31 તેણે કહ્યું, "કોઈનાં સમજાવ્યાં વગર હું તે કેવી રીતે સમજી શકું?" પછી તેણે ફિલિપને ઉપર પોતાની પાસે આવીને બેસવા આમંત્રણ આપ્યું.
32 શાસ્ત્રનો જે ભાગ ખોજો વાંચતો હતો તે આ પ્રમાણે હતો:
"ઘેટાંની જેમ મારી નાંખવાને તેમને લઈ જવામાં આવ્યા,
અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,
તેમ તેમણે પોતાનું મોં ખોલ્યું જ નહિ.