32 શાસ્ત્રનો જે ભાગ ખોજો વાંચતો હતો તે આ પ્રમાણે હતો:
"ઘેટાંની જેમ મારી નાંખવાને તેમને લઈ જવામાં આવ્યા,
અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,
તેમ તેમણે પોતાનું મોં ખોલ્યું જ નહિ.
33 તેમના દિનઅવસ્થામાં તેમને ન્યાય મળ્યો નહિ.
તેમના વંશજોનું વર્ણન કોણ કરી શકે?
કારણ તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો."
34 ખોજાએ ફિલિપને પૂછયું, "મહેરબાની કરી મને કહો, પ્રબોધક કોના વિશે આ વાત કરે છે, પોતા વિશે કે બીજા કોઈ વિશે?" 35 ત્યારે ફિલિપે શાસ્ત્રના એ જ ભાગમાંથી શરૂ કરીને ઈસુ વિશેનાં સુસમાચાર તેને કહ્યાં.